વિરપુર જલારામ:-એન્કર:- યાત્રાધામ વિરપુરમાં હર ઘર ત્રિરંગા અંતર્ગત વીરપુરની તમામ શાળાના વિદ્યાર્થીઓએ ત્રિરંગા રેલી યોજી "આઝાદી અમર રહો"ભારત માતા કી જય ના નારા થી વાતાવરણ ગું
વિરપુર જલારામ:- એન્કર:- યાત્રાધામ વિરપુરમાં હર ઘર ત્રિરંગા અંતર્ગત વીરપુરની તમામ શાળાના વિદ્યાર્થીઓએ ત્રિરંગા રેલી યોજી "આઝાદી અમર રહો"ભારત માતા કી જય ના નારા થી વાતાવરણ ગુંજી ઊઠ્યું. આઝાદી કા અમૃત મહોત્સવ આઝાદીના 75 વર્ષની ઉજવણી નિમિતે ભારતના નાગરિકો ભારતીય સંસ્કૃતિ અને સિદ્ધિઓના ગૌરવશાળી ઈતિહાસની ઉજવણી કરવા માટેની વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરુ કરેલી પહેલ "હર ઘર તિરંગા" અભિયાન અંતર્ગત સૌરાષ્ટ્રના જગવિખ્યાત યાત્રાધામ વિરપુરમાં પ્રસાશન તથા પોલીસ જવાનો તેમજ તમામ શાળાના શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓએ એક ત્રિરંગા રેલીનું આયોજન કરાયું હતું, જેમાં વીરપુર પોલીસ સાથે શાળાના શિક્ષકો,વિદ્યાર્થીઓ, વિરપુર ગામના સરપંચ તેમજ આગેવાનો જોડાયા હતા,આ ત્રિરંગા રેલીમાં શાળાના વિદ્યાર્થીઓએ ભારત માતા ,જાંસીની રાણી,ભગતસિંહ જેવા વેશ ભૂષા ધારણ કરીને દેશની આન બાન શાન એવા ત્રિરંગા સાથે વિરપુરના મુખ્ય માર્ગો તેમજ શેરી ગલીઓમાં ફરીને"ભારત માતાની જય" "આઝાદી અમર રહો" "વંદે માતરમ" ના નારા લગાવીને હર ઘર ત્રિરંગાના સ્લોગન સાથે શહીદોને યાદ કરી લોકોને દેશની શાન ત્રિરંગા વિષે માહિતગાર કર્યા હતા. રિપોર્ટર :- ભાગ્યેશ ડોબરીયા વીરપુર
0 Comments