પોરબંદર ટ્રાફિક શાખાના ટ્રાફિક બ્રિગેડ દ્રારા મોબાઇલ ફોન મુળ માલિકને પરત કરી પ્રામાણિકતા દાખવવામાં આવી.
પોરબંદર ટ્રાફિક શાખાના ટ્રાફિક બ્રિગેડ દ્રારા મોબાઇલ ફોન મુળ માલિકને પરત કરી પ્રામાણિકતા દાખવવામાં આવી. *પોરબંદર ટ્રાફિક શાખાના ટ્રાફિક બ્રિગેડ દ્રારા માણેકચોક વિસ્તારમાથી મળેલ મોબાઇલ ફોન મુળ માલિકને પરત કરી પ્રામાણિકતા દાખવવામાં આવી.* તા.૨૨/૦૩/૨૦૨૪ ના ક.૦૯/૦૦ વાગ્યાથી ટ્રાફિક બ્રિગેડ દિલીપભાઇ કેશુભાઇ ગોઢાણીયા માણેકચોક ચાર રસ્તા પર પોતાની ફરજ ઉપર હતા તે દરમ્યાન બપોરના સમયે માણેકચોક રોડ ઉપરથી એક Redmi-09 મોબાઇલ ફોન મળી આવેલ જેથી તુંરત જ આ ટ્રાફિક બ્રિગેડ દિલીપભાઇએ મોબાઇલના મુળ માલિકને શોધવા પ્રયત્ન હાથ ધરતા આ મોબાઇલ ફોન રોનકભાઇ મોહનભાઇ શિયાળ રહે. વાઘેશ્વરીપ્લોટ સર્કલ સામે પોરબંદરવાળાનો હોય જેથી આ રોનકભાઇને ટ્રાફિક શાખાની ઓફિસે બોલાવી જરૂરી આધાર પુરાવા મેળવી મૂળ માલિક રોનકભાઇને તેમનો Redmi-09 મોબાઇલ ફોન જેની કિ.રૂા.૧૧,૦૦૦/- નો પરત કરી ટ્રાફિક બ્રિગેડ દિલીપભાઇ કેશુભાઇ ગોઢાણીયા દ્રારા પ્રામાણિકતા દાખવાવામાં આવેલ હતી. અને રોનકભાઇ દ્રારા ટ્રાફિક બ્રિગેડ દિલીપભાઇ તથા ટ્રાફિક પોલીસ સ્ટાફનો આભાર વ્યક્ત કરેલ હતો.
0 Comments